Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

ખાંભા તાલુકાના ડેડાણ માં અમરધામ આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો…

સંતવાણી કાર્યક્રમ માં કૉમીએકતા અને ભાઈચારો જોવા મળ્યો

ખાંભા તાલુકાના ડેડાણ માં અમરધામ આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો…

ડેડાણ ખાતે આવેલ અમરધામ આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ માં કૉમીએકતા અને ભાઈચારો જોવા મળ્યો અમરધામ આશ્રમ ના મહંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ નું સુન્ની મુસ્લિમ સમાજ ડેડાણ દ્વારા સાકરતુલા કરવામાં આવી..આ પ્રંસગે ડેડાણ દરબાર શ્રી અને તુલસી શ્યામ મંદિર ના ટ્રસ્ટી મહેશભાઈ કોટીલા. અને સમગ્ર ડેડાણ ગામ જેમના માટે ગર્વ લઈ શકે તેવા જગ પ્રસિદ્ધ કથાકાર પુંજ્ય રાજુ દાદા શાસ્ત્રી ની વિશેષ ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજ દ્વારા મા અમરધામ આશ્રમના મહંત શ્રી દેવેન્દ્ર દાસ બાપુ ની સાકર તુલા કરી જેમાં મુસ્લિમ સમાજ પ્રમુખ અયુબ ખાન પઠાણ. નેશનલ પ્રેસ એસોસિયેશન સૌરાષ્ટ્ર આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ નેશનલ પ્રેસ એસોસિયેશન ખાંભા તાલુકા પ્રમુખ સતિષભાઈ મકવાણા મહુવા ઉધોગોપતી વલ્લભભાઈ માળીયા. સોરઠીયા ઘાચી સમાજ પ્રમુખ મજીતભાઈ ટાંક. ફિરોઝ ખાન (તીનગુલાબ ).સરપંચ અલારખભાઈ પઠાણ.ઉસ્માનભાઈ ભોકીયા. ટોલીબાપુ. મહમદભાઈ પડાયા. કરીમભાઈ સાલેડા. બહાદુરભાઈ હિરાણી. મોહસીનખાન પઠાણ. સહિતના મુસ્લિમ આગેવાનો દ્વારા પૂજ્ય બાપુ ની સાકર તુલા કરવામાં આવી હતી અને સમગ્ર ભારતમાં હિંદુ મુસ્લિમ એકતા અને ભાઈચારો કાયમી રહે તેવી દુઆ અને પ્રાર્થના કરી હતી..

Show More
Back to top button
error: Content is protected !!