Site icon SAMRIDDH BHARAT NEWS

મહીસાગર પોલીસ દ્રારા મહીસાગરની જનતાને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાહેર જનતા જોગ સંદેશ આપવામા આવ્યો.

મહીસાગર પોલીસ દ્રારા મહીસાગરની જનતાને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાહેર જનતા જોગ સંદેશ આપવામા આવ્યો.

આગામી ૭ જૂલાઈ, ૨૦૨૪ ના રોજ રથયાત્રાનો તહેવાર હોય

• આ અનુસંધાને કોઇ પણ ઉશ્કેરણીજનક કે કોઇ સમાજની ધાર્મિક લાગણી દુભાય એવા કોઇ પણ

જાતની અફવાઓ, ખોટા મેસેજ, ઓડીયો, વીડિયો કોઇ પણ પ્રકારના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર

મોકલવા કે ફોરવર્ડ કરવા નહિ.

• સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે વ્હોટ્સેપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર જેવા સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

• શોભાયાત્રામાં ડીજે વાગતા હોઇ ત્યારે કોઇ પણ ધર્મ કે જાતિની લાગણી દુભાય તેવા ગીત,સંગીત વગાડવા નહિ અને ડીજે નો અમુક મર્યાદા કરતાં વધારે અવાજ રાખાવામાં આવે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું જો કોઇ ડીજે દ્વારા ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે.

• દરેક ધર્મના લોકો વચ્ચે પ્રેમભાવ અને શાંતિ જળવાય રહે તે આપણા સૌની નૈતિક ફરજ છે.

• કોઇ વ્યક્તિ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરશે તો તેઓની વિરુધ્ધ ક્ડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી.

• કોઇ પણ અનિચ્છનીય બનાવની જાણ મહિસાગર જિલ્લા પોલીસ કંટ્રોલ નંબર ૦૨૬૭૪ ૨૫૦૧૨૮ પર કરવા વિનંતી

 

Exit mobile version