Site icon SAMRIDDH BHARAT NEWS

પોઇચા નર્મદા નદીમાં ૯ લોકો ડૂબ્યાની સંકા

નર્મદા નદીમાં ડૂબી ગયેલા ૭ પૈકી ૨ ના મૃતદેહ મળી આવ્યા : અન્યોની કરાઇ રહી છે શોધખોળ

નર્મદા જિલ્લાના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા પડેલા મૂળ અમરેલીના અને હાલ સુરત રહેતા એક જ પરિવારના 9 સભ્યો નર્મદા નદીમાં ડૂબ્યા હતા. જેમાં બે સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જયારે અન્ય ૭ લોકોની NDRF, ફાયર ટીમ,તેમજ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. દરમ્યાન આજે સવારે પોઈચા નર્મદા નદીમાંથી 6 કિલોમીટર દૂર પુલ પાસેથી ડૂબેલા ૧૫ વર્ષીય ભાવેશ વલ્લભ ભાઈ હડીયા તેમજ ભાર્ગવ અશોક કટારિયા નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય સભ્યોને શોધવાની કામગીરી હજુ ચાલુ છે.

Exit mobile version