Site icon SAMRIDDH BHARAT NEWS

*તાજેતરમાં દહેગામના લવાડ મુકામે તા.09-04-2024 ના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી*

જેમાં દહેગામના લવાડ મુકામે સ્વ શ્રીજગતસિંહ ફતેસિંહ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા.તેમાં લવાડ તથા આજુબાજુના ગામના લોકો તથા હરિભક્તો તેમજ આજુબાજુની દરેક શાળાના બાળકો ત્યાં ભોજન લેવા પધાર્યા હતા.આ પ્રસંગનું આયોજન ચૌહાણ વિજયસિંહ જગતસિંહે ખૂબ જ સરસ કર્યું હતુ. તેમને પિતા માટે બે શબ્દો બોલ્યા હતા કે”તમારું જીવન અમારી પ્રેરણા હતી.તમારા આદર્શો અમારા માર્ગદર્શન હતા.અમે તમારા સરળ જીવન અને દયાળુ સ્વભાવ ભાવનાશીલતાને ક્યારેય નહીં ભૂલીએ આપના સ્નેહ સ્મરણના પુષ્પો મૂર્જાવાના નથી.વર્ષો સૌ આમ દિલમાં કદી દૂર જવાના નથી સ્નેહ આશિષની અમીવર્ષા સદા અમપર વરસ્તી રહે પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના “

Exit mobile version